વડીયા તાલુકાના રામપુર(તોરી) ગામે રામરોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રામપુર ગામે નિરાધાર અને રખડતા ભટકતા બાળકો માટે મદદરૂપ બનવાના હેતુથી રામરોટીની સેવા શરૂ કરવામાં આવી છે. રામપુર દાનગીગેવ જન્મભૂમિ ટ્રસ્ટ, આપાગીગા જન્મ સ્થળ પર મોટી કુંકાવાવના ગોબર ભગતના હસ્તે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યને સફળ બનાવવામાં ચતુરભાઈ બોરડ, રાજુભાઈ દવે, બાબુભાઈ ગેવરીયા, બાલુભાઈ વોરા, ચેતનભાઈ તળાવીયા, રાજુભાઈ બુહા, મનસુખભાઈ પોશીયા તેમજ ગ્રામજનોના સાથ સહકારથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઘુસાભાઈ ગોંડલીયા ખાસ આ કાર્યમાં મદદરૂપ થયાં હતા.