બાંગ્લાદેશ આજે ‘વિજય દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસે એટલે કે ૧૬મી ડિસેમ્બરે ભારતીય સેના અને મુક્તિ બાહિનીના યોદ્ધાઓએ પાકિસ્તાની સેના સામે યુદ્ધ લડ્યું હતું અને બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. રવિવારે, ‘વિજય દિવસ’ની પૂર્વસંધ્યાએ, બાંગ્લાદેશના હાંકી કાઢવામાં આવેલા વડા પ્રધાન શેખ હસીનાએ દેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ‘અલોકતાંત્રિક જૂથ’નંર નેતૃત્વ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે લોકો પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી.
શેખ હસીનાએ યુનુસને ‘ફાસીવાદી’ ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે તેમની આગેવાની હેઠળની સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય મુક્તિ યુદ્ધ અને મુક્તિ તરફી દળોની ભાવનાને દબાવવાનો હતો. બાંગ્લાદેશ ૧૬ ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવે છે. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, પાકિસ્તાની સેનાના તત્કાલીન વડા જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ૧૩ દિવસના યુદ્ધ પછી ભારતીય સેના અને મુક્તિ બહિનીના સંયુક્ત દળોને ૯૩,૦૦૦ સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું. આ ઘટના પછી પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું.
હસીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ‘રાષ્ટ્રવિરોધી જૂથોએ ગેરબંધારણીય રીતે સત્તા પર કબજા કર્યો છે. તેમણે કહ્યું, ‘ફાસીવાદી યુનુસના નેતૃત્વમાં આ અલોકતાંત્રિક જૂથની જનતા પ્રત્યે કોઈ જવાબદારી નથી. તેઓ સત્તા પર કબજા કરી રહ્યા છે અને તમામ લોકકલ્યાણના કાર્યોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે.
યુનુસ સરકારની ટીકા કરતા હસીનાએ કહ્યું હતું કે બાંગ્લાદેશના લોકો વધતી કિંમતોના બોજમાં દબાયેલા છે. તેમણે કહ્યું કે આ સરકાર લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી ન હોવાથી લોકો પ્રત્યે તેની કોઈ જવાબદારી નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય મુક્તિ સંગ્રામ અને મુક્તિ તરફી દળોની ભાવના અને અવાજને દબાવવાનો છે. આ વર્ષે ઓગસ્ટમાં ભારે સરકાર વિરોધી વિરોધને કારણે હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું.