લીલીયાના સલડી ગામે રહેતો પંકજ ઉર્ફે હાજો વિનુભાઈ સાથળીયા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો. જેને ૧૬-૦૮-૨૦૨૪ના રજ ૧૫ દિવસના પેરોલ મળ્યા હતા. તેના પેરોલ પૂરા થતાં લાજપોર જેલ ખાતે હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ દિપકભાઈ રવજીભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.