સાવરકુંડલા તાલુકાના ધજડી ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૪/૦૩/૨૫ ને મંગળવારે રાત્રે ૮.૩૦ બ.પૂ.પા. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં અનન્ય ચરણોપાસક સદિ્શષ્ય પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું ધજડી ખાતે રાદડિયા પરિવારનાં કુળદેવી મંદિરે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજે પ્રવચન આપતા કહ્યું હતું કે શિવજીનું નામસ્મરણ એ મુકિતનો માર્ગ છે. શિવજીના ગુણોને આપણા વ્યક્તિગત જીવનમાં ગ્રહણ કરવા જોઈએ.