તા.૨૬-૩-૨૫ના રોજ નિયામક-આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન તથા ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી સ. આ. દ. ધારગણી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં સારવાર સાથે લોકોને દિનચર્યા તથા ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૮ મા આયુર્વેદિક કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ હતો.