સાવરકુંડલા ખાતે બ્રહ્મપરિવારો દ્વારા શરદપૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ બ્રહ્મપુરી ઉપરનો વિભાગનાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભારતનાં ઉદ્યોગ રત્ન એવા સ્વ.રતન તાતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં બ્રહ્મ યુવાનો ઉમટી પડયા હતા. દાતાઓ અને બાળકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રહ્મપરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા બ્રહ્મપરિવારનાં દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.