સાવરકુંડલાથી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા માનવ મંદિરમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ સંસ્થા ૬૦ જેટલી નિરાધાર અને મનોરોગી મહિલાઓને આશરો આપે છે, જેમના પાલક પિતા તરીકે ગુરુ ભક્તિ બાપુ સેવા આપે છે. આ પ્રસંગે ગુરુ ભક્તિ બાપુનું પૂજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં સેવકોએ ભાગ લીધો. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, દિપકભાઈ માલાણી, પ્રવીણભાઈ સાવજ સહિતના મહાનુભાવોએ પણ માનવ મંદિરની મુલાકાત લીધી હતી. ગુરુપૂર્ણિમાના અવસર પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને પુણ્યનું  ભાથું પ્રાપ્ત કર્યું હતું. સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જાણીતા કલાકારોએ ભજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.