સાવરકુંડલાના ધજડી પરા (બોઘરીયાણી) પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાની મહેનતથી તેમના જ સંબંધી પાસેથી બ્લેન્કેટનું દાન મેળવી શાળામાં ભણવા આવતા, વાડીઓમાં મજૂરી કામ કરતા ગરીબ પરિવારના બાળકોને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં આ શાળાના નિવૃત્ત શિક્ષિકા બહેન ચેતનાબેન ચાવડા તેમજ એસએમસી સભ્ય કૈલાસબેન રંગાણી, ગામના સરપંચ મહેશભાઈ રાદડિયા તેમજ સુરેશભાઈ રંગાણી અને સિરાજભાઈ સૈયદે હાજરી આપી હતી. બાળકોને બ્લેન્કેટ મળતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શાળામાં સ્ટાફ તરફથી ઘણીવાર નાસ્તાપાણીનું આયોજન પણ કરવામાં આવે છે આથી બાળકો ઉત્સાહથી શાળાએ આવે છે. આ બ્લેન્કેટ મળતાં ગરીબ વર્ગના બાળકો રાજીના રેડ થઈ ગયા હતા.