સાવરકુંડલામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ગોરડકાથી મેરીયાણાના રસ્તે મેરપધાર હનુમાનજી મંદિર પાસે સુરત પાસિંગની ફોર વ્હીલનો ચાલક ટુ વ્હીલ ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ગોરકડા ગામે રહેતા જયંતીભાઇ ઉર્ફે ટીટલો કાળાભાઇ કાતરીયા (ઉ.વ ૩૦)એ તેમના જ ગામના ઉદયભાઈ વીરાભાઈ ચાંદુ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ પોતાના હવાલાની સ્વિફટ કાર નં.જી.જે.૦૫-સી.એન-૨૨૩૩ ને માણસની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી તેમની મોટર સાયકલ નં.જી.જે-૧૪-એ.એમ-૨૩૬૮ સાથે અથડાવી અકસ્માત કરી, ગંભીર ઇજા પંહોચાડી નાસી ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. નાંદવા વધુ તપાસ કરી રહ્યા છે.