સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ રાકોવીયા દવે પરિવારની વાર્ષિક કારોબારી મીટિંગ આજે ગાંધીનગરમાં યોજાઇ હતી. યજમાન દાતા નૈષદભાઇ નલીનકાંત દવેના હસ્તે દીપ પ્રાગ્ટય કરી મીટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં રાકોવીયા દવે પરિવાર કુળદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં આગામી ૨૨મો ત્રિકુંડી શ્રીયજ્ઞનું આયોજન ચિત્તલ મુકામે તારીખ ૧૦-૧૧-૨૪ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્રસ્ટના વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક હિસાબોને પણ મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત વધુ કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.