સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાં ગણેશ ચતુર્થીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યાર્ હતા. આ પ્રસંગે પૂ. રામકૃષ્ણદાસજી સ્વામીએ ગણપતિજીના મહિમાની શાસ્ત્રોકત વાતો કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. રાત્રે ભવ્ય રાસોત્સવ પણ ઉજવાયો હતો. આ મહોત્સવમાં ૧૫ સંતો, ૬૦ શિક્ષકો અને ૨૧૦૦ વિદ્યાર્થીઓ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.