વડીયા,તા.૧૯
સ્વામિનારાયણ દિવ્યધામ વડીયામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની છત્રછાયામાં ગુરૂવર્ય માનત સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે ત્યારે આ પ્રસંગે ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી મહાપૂજાનો કાર્યક્રમ થશે, ૮ઃ૩૦ કલાકે ધ્વજાનું પૂજન કરી ધજા ચઢાવવામાં આવશે બાદમાં ધૂન ભજન કિર્તન કરી સત્સંગી સભા થશે. શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપ દાસજી કથાનું રસપાન કરાવશે ત્યારબાદ ગુરૂવર્ય અક્ષર નિવાસી પંડિત સ્વામી ધર્મ વલ્લભ દાસજી સ્વામી તથા મહંત માનત સ્વામી રામકૃષ્ણ દાસજી આદિ સંતોનું પૂજન અર્ચન કરવામાં આવશે. આ પ્રસંગે વડીયા તથા આજુબાજુના ગામોમાંથી અનેક ગુરૂભકત હરિભક્તો આવી ગુરૂપૂર્ણિમા મહોત્સવનો લાભ લેશે.