હરિયાણામાં નવી સરકારની રચના બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. પરંતુ આ વિભાગમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી દાખવનાર અનિલ વિજ સાથે રમત થઈ ગઈ છે, તેમણે પોતાનું જૂનું મંત્રાલય પણ ગુમાવ્યું છે. નવી નાયબ સરકારમાં વિજને ત્રણ વિભાગોની જવાબદારી મળી છે, જેમાં ગૃહ મંત્રાલય સામેલ નથી. સીએમ સૈનીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.
અનિલ વિજને ટ્રાન્સપોર્ટ, લેબર અને એનર્જી મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની સરકારમાં અનિલ વિજ ગૃહમંત્રી હતા. જ્યારે નાયબ સિંહ સૈનીને હરિયાણાની કમાન સોંપવામાં આવી હતી. આ વાતથી વિજ ગુસ્સે થઈ ગયા હતા. તેમની ઈચ્છા હતી કે તેમને સિનિયોરિટીના આધારે સીએમ પદની જવાબદારી મળવી જાઈએ. પરંતુ ભાજપ હાઈકમાન્ડે આવું કર્યું ન હતું.
આ પછી વિજે ધારાસભ્ય દળની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો અને ગૃહ મંત્રાલય પણ છોડી દીધું હતું અને સૈની કેબિનેટમાં પણ જાડાયા ન હતા. ત્યારથી વિજ સતત ગુસ્સે થઈ રહ્યા હતા. તેમની ઈચ્છા હંમેશા સીએમ બનવાની હતી. તેમણે સમયાંતરે આનો ઉલ્લેખ ઘણી વખત કર્યો હતો. તાજેતરમાં સુધી, ચૂંટણી પહેલા, તેમણે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. જ્યારે તેમને સીએમ પદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે હું પાર્ટીમાં સૌથી સિનિયર છું, જા હાઈકમાન્ડ ઈચ્છશે તો આગામી બેઠક સીએમ આવાસ પર જ થશે. જાકે, એવું કંઈ થયું નથી.