ન્યાય તંત્ર લોકશાહીનો પાયો છે. તે લોકશાહીને ધબકતી રાખે છે. લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે,કાયદા મંત્રી
(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૭
મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાઓના વેલ્ફેર માટે રૂ.પાંચ કરોડનો ચેક બાર કાઉન્સલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. એડવોકેટ જનરલશ્રી કમલ ત્રવેદી અને ગુજરાત બાર કાઉન્સલના ચેરમેન જે.જે.પટેલ આ પ્રસંગે ઉપસ્થત રહ્યા હતા. આ પ્રસંગે બાર કાઉÂન્સલ ઓફ ગુજરાત દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના મહત્વના ૮૦ ચુકાદાઓ પર તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ પ્રસંગે બાર કાઉન્સલ ઓફ ગુજરાતને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સલ ઓફ ગુજરાત એકમાત્ર બાર કાઉન્સલ છે જેણે ટેકનોલોજીને અપનાવીને એક નવીન પહેલ આરંભી છે. બાર કાઉન્સલે આજે મારા ચુકાદાઓનું પુસ્તક લોન્ચ કર્યું છે, જે મારું સૌભાગ્ય છે. બાર અને બેન્ચ વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે અને ન્યાય વ્યવસ્થા વધુને વધુ મજબૂત થાય એ આપણા સૌના સહિયારા પ્રયાસ હોવો જાઈએ. આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જાઈએ, એમ તેમણે જણાવ્યું હતું.આપણે સૌ ન્યાય વ્યવસ્થાના પ્રહરી છીએ એમ જણાવીને એમણે ઉમેર્યું કે, આપણે સમાજના લોકોને ન્યાય અપાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. બાર એ બેન્ચ અને ન્યાય ઈચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે. આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જાઈએ અને ઈમાનદારી પૂર્વક આપણું કાર્ય કરવું જાઈએ.નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લકેશનનો પ્રારંભ કરાવતા ગૌરવની લાગણી અનુભવતા કાયદા અને ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર લોકશાહીનો પાયો છે. તે લોકશાહીને ધબકતી રાખે છે. લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે, એમ તેમણે ઉમેર્યું હતું.રાજ્યમાં વકીલો અને બાર એસોસિએસન્સના કલ્યાણ અર્થે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે એમ જણાવીને મંત્રીએ કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૦-૧૧માં પ્રથમ વખત તમામ બાર એસોશિએસનને ઇ-લાઇબ્રેરી માટે રૂપિયા બે કરોડ પચીસ લાખની સહાય પૂરી પાડી હતી. વધુમાં વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં જેમ વકીલોને બેસવા માટે અલગ વ્યવસ્થા અને બિલ્ડંગ છે. બરોડા અને રાજકોટ ખાતે પણ તે મુજબના અલાયદા બિલ્ડંગની વ્યવસ્થા વકીલો માટે ઉભી કરવામાં આવી છે.રાજય સરકાર દ્વારા બાર કાઉન્સલ ઓફ ગુજરાત તથા વકીલ મંડળની માંગણીઓ સંદર્ભે હંમેશા હકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે. રાજ્યમાં તાલુકાથી લઈને હાઇકોર્ટ સુધી ન્યાયક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા રાજ્ય સરકારે હંમેશા તત્પરતા દાખવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
લોન્ચ કરાયેલ નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશન વિશે વાત કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજના ટેક્નોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં જયારે મોબાઈલ તથા કોમ્પ્યુટરના માધ્યમથી દરેક માહિતી ત્વરિત મેળવી શકાય છે, ત્યારે વકીલોને અપડેટેડ રાખવાના ઉદ્દેશ સાથે નવી વેબસાઈટ તથા મોબાઇલ એપ્લકેશન બનાવીને બાર કાઉન્સલ ઓફ ગુજરાત સાચા અર્થમાં માતૃસંસ્થા બનવા સાથે સમયની સાથે ચાલી રહયું છે.નવી લોન્ચ થયેલી ગુજરાત લો હેરાલ્ડની વેબસાઇટ તથા મોબાઇલ એÂપ્લકેશનથી ગુજરાત રાજયના વકીલો નામદાર વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓથી અવગત થશે, તથા રાજય તથા કેન્દ્રના કાયદાઓની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. સાથે જ, મંત્રીશ્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા ઉપÂસ્થત વકીલમિત્રોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીન ટેક્નોલોજીના ઉપયોગ માટે પણ આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, ગુજરાત બાર કાઉÂન્સલના વાઇસ ચેરમેન એમ.સી.કામદાર, એકઝીકયુટીવ કમિટિના ચેરમેન એન.ડી.પટેલ, બાર કાઉÂન્સલ ઓફ ઇન્ડીયાના મેમ્બર ડી.કે.પટેલ તથા કાઉન્સલના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વકીલો અને કાયદા તથા ન્યાયતંત્ર ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉપસ્થત રહ્યાં હતા.