(એ.આર.એલ),લખનૌ,તા.૨૭
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ સતત ભાજપ માટે કપરાં ચઢાણ જાવા મળી રહ્યા છે. એકબાજુ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા અને પછી રાજ્યમાં કથિત સંગઠન અને યોગી સરકાર વચ્ચે તણાવનો એપિસોડ જાવા મળ્યો. જા કે હવે આ એપિસોડનો જાણે અંત આવી ગયો એમ લાગે છે. જેને જાતા એવું કહી શકાય કે યુપીમાં યોગી ‘બાબા’નો ચારેબાજુ જલવો છે. યોગી આદિત્યનાથ જ યુપીના મુખ્યમંત્રી રહેશે અને ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડવામાં આવશે.
યુપીના રાજકારણથી એક એવા પણ મોટા સમાચાર આવ્યા છે કે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની નિવેદનબાજીથી કેન્દ્રીય નેતૃત્વ જરાય ખુશ નથી. આવામાં આજે તેમને પાર્ટી ફોરમમાં જ બોલવાના નિર્દેશ અપાયા છે. એટલું નહીં બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બૃજેશ પાઠકના કામકાજ ઉપર પણ કેન્દ્રીય નેતૃત્વ મંથન કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને અંગે આગળ જઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે શુક્રવારે જયપુરમાં ભૂપેન્દ્ર ચૌધરીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ હતું કે યુપીમાં ચહેરો બદલવાની કોઈ સંભાવના નથી.
વાત જાણે એમ છે કે ૧૫મી જુલાઈના રોજ કાર્યસમિતિની બેઠકમાં સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદના અલગ અલગ સૂર હતા ત્યારે સરકાર અને સંગઠન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ખુલીને બહાર આવી. સીએમ યોગીએ આગળ બધાને એક સાથે ચાલવા કહ્યું તો કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકારથી મોટું સંગઠન છે. સીએમ યોગીએ બેકફૂટ પર નહીં આવવાની વાત કરી તો મૌર્યએ કહ્યું કે સંગઠન હતું અને હંમેશા રહેશે. ત્યારબાદ યોગીએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે ૨૭માં એક પણ તિરાડ પડી તો બધા પર અસર પડશે. દિલ્હીમાં યુપીના નેતાઓને એક સાથે બેસાડીને સ્પષ્ટ કરી દેવાયું છે કે બધાએ એક સાથે ચાલવું પડશે. ‘ઘર્ષણ’વાળા નિવેદન ન આવવા જાઈએ. બધા મળીને કામ કરશે.