અમરેલીના રાજકમલ ચોકથી હઠીલા હનુમાન સુધીમાં અનેક નોનવેજની લારીઓ ધમધમતી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓએ રોષભેર આવેદનપત્ર પાઠવ્યુ છે. રહેવાસીઓને જણાવ્યુ હતું કે, હઠીલા હનુમાનના દર્શને આવતા ભાવિકોની લાગણીને ઠેસ પહોંચે છે તેમજ દારૂની કોથળીઓ, ઈંડાની ફોતરીઓ ઘર સુધી આવતી હોવાથી નોનવેજનું વેચાણ બંધ કરાવવા માંગ કરી છે.