(એ.આર.એલ),મુંબઇ,તા.૨૪
મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંતા પાટીલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તે ફરીથી શરદ પવારની પાર્ટીમાં જાડાઇ ગયા સૂર્યકાંતા પાટીલ વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીમાં જાડાયા હતા. તે આજે મુંબઈમાં એનસીપી કાર્યાલયમાં શરદ પવારની હાજરીમાં પાર્ટીમાં જાડાયા હતાં સૂર્યકાંતા છેલ્લા કેટલાક દિવસોથી ભાજપથી નારાજ હતા. સૂર્યકાંતા પાટીલે રાજીનામું આપતાં કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં હું ઘણું શીખી છું. આ માટે અમે ભારતીય જનતા પાર્ટીના પણ આભારી છીએ.સૂર્યકાંત પાટીલે હિંગોલી લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળવા પર તેણે સોશિયલ મીડિયા પર જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે તેમણે રાજીનામું આપી દીધું છે. સૂર્યકાંતા પાટીલે ચાર વખત સાંસદ તરીકે અને એક વખત ધારાસભ્ય તરીકે હિંગોલી-નાંદેડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ કેન્દ્ર સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. આ પછી તેઓ સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.સૂર્યકાંતા પાટીલ પ્રથમ વખત ૧૯૮૦માં હદગાંવ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૬માં સૂર્યકાંતા પાટીલ કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયા હતા. તેઓ ૧૯૯૧, ૧૯૯૮ અને ૨૦૦૪માં ત્રણ વખત લોકસભામાં ચૂંટાયા હતા.૧૯૭૦-૧૯૭૨ – જનસંઘના નેતા, ભાજપ મહિલા અઘાડીના વડા રહ્યાં છે ૧૯૭૪ નાંદેડ નગરપાલિકા માટે નાંદેડ કોંગ્રેસના ઉમેદવાર (૮ વર્ષ માટે કાઉન્સલર).૧૯૮૦માં કોંગ્રેસની ટિકિટ પર હદગાંવ વિધાનસભાથી ચૂંટણી જીતી..૧૯૮૦-૧૯૮૫ સુધી વિધાનસભાના સભ્ય).૧૯૮૬ રાજીવ ગાંધી તેમને રાજ્યસભામાં લઈ ગયા..૧૯૯૧માં તેમણે કોંગ્રેસમાંથી નાંદેડ લોકસભામાં રેકોર્ડ ૧ લાખ ૩૭ હજાર મતોથી જીત મેળવી હતી..૧૯૯૬માં, હિંગોલીમાં કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી અને જીતી.૧૯૯૯માં એનસીપીમાં જાડાયા,૧૯૯૮માં, હિંગોલીમાં એનસીપી તરફથી લોકસભા ચૂંટણી લડી અને જીતી.,એનસીપી તરફથી ૨૦૦૪ લોકસભા સભ્ય.,૨૦૦૯માં એનસીપીમાંથી લોકસભા ચૂંટણી હારી૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજીવ સાતવને હિંગોલીમાંથી ઉમેદવાર બનાવ્યા બાદ તેણી ભાજપમાં જાડાઈ હતી. સોમવારે બપોરે તે ફરી એકવાર શરદ પવારની પાર્ટીમાં જાડાયા છે