ધારીના મોણવેલ ગામના એક ખેડૂતનો માલ વેચાતો રાખી લઈ પૈસા નહીં ચૂકવીને વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે અશ્વિનભાઈ હંસરાજભાઈ ડાવરાએ હર્ષદભાઈ ઉર્ફે લાલો વજુભાઈ ઢોલરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ ખેતીવાડીનો માલ (પાક) વેચાતો રાખી લઈ તેમને તથા સાહેદોને વિશ્વાસમાં લઈ કુલ કિં.રૂ.૯,૮૩,૨૭૮ નહીં ચુકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.