વડીયાના નાજાપુર ગામે રહેતી એક પરિણીતાને પતિએ મારકૂટ કરી, ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નાજાપુર ગામે રહેતી મનિષાબેન શૈલેષભાઈ આઠુએ રાજકોટના જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતા પતિ શૈલેષભાઈ વાલજીભાઈ આઠું સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ લગ્નના પાંચ વર્ષના ગાળા દરમિયાન અવાર નવાર મારકૂટ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો.વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.