બાબરા તાલુકાના નવાણીયા ગામે નાની સિંચાઈ યોજના પેટા વિભાગ લીલીયા હસ્તકનું તળાવ આવેલ છે. આ તળાવના રીપેરીંગ કામ માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પછી સરકાર દ્વારા રૂ.૫૪.૯૫ લાખ મંજૂર કરવામાં આવેલ છે. આ કામને સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે, જે અંતર્ગત તળાવમાં જરૂરીયાત મુજબની તમામ રીપેરીંગ કામગીરી કરાશે. આ તળાવનું રીપેરીંગ થયા બાદ હાલ કરતાં ખુબ જ વઘારે પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. આ કામગીરીથી લોકોની સુવિધામાં વધારો થશે તેમજ આજુબાજુના વિસ્તારના પાણીના તળ ઉપર આવવાની સાથે જ ખેડૂતોને ખુબ જ ફાયદો પણ થશે. આ કામ મંજૂર થતા નવાણીયા ગામના લોકો દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કરાયો હતો.