ગુજરાત પોલીસે ખેડા જિલ્લાના નડિયાદમાં ત્રણ રહસ્યમય મોતનો ભેદ ઉકેલ્યો છે. ૯ ફેબ્રુઆરીના રોજ નશાના સેવનથી ત્રણ લોકોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં આ મામલો ઝેરી દારૂ સાથે પણ જાડાયેલો હતો. પોલીસ તપાસમાં સનસનીખેજ ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક શિક્ષકને તેના પરિવાર માટે વીમાના પૈસા મેળવવા માટે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. મૃત્યુ કુદરતી અથવા આકસ્મિક હોય તો જ વીમાની રકમ પીડિત પરિવારને જાય છે. તેમના કુદરતી મૃત્યુનું પરીક્ષણ કરવા માટે, શિક્ષકે ત્રણ લોકો પર સોડિયમ નાઇટ્રેટ ઝેરનો પ્રયાસ કર્યો. જેમાં ત્રણેયના મોત થયા હતા. ત્રણ અઠવાડિયા પછી, પોલીસે ઝેર શોધી કાઢ્યું અને મકવાણાની ધરપકડ કરી. આ રીતે તેની સમગ્ર યોજનાનો પદાર્ફાશ થયો.
પોલીસના જણાવ્યા અનુસાર, નડિયાદમાં શિક્ષક હરિ કિશન મકવાણા (૪૪)એ ૨૫ લાખ રૂપિયાનો જીવન વીમો મેળવવા માટે ત્રણ નિદોર્ષ લોકોને ઝેર આપ્યું હતું. પિતાના અવસાનથી તે દુઃખી અને આર્થિક રીતે પરેશાન હતો. જા તેણે આત્મહત્યા કરી હોત તો પરિવારને પૈસા ન મળ્યા હોત. શિક્ષકનું માનવું હતું કે કાયદાકીય સમસ્યાઓના તણાવને કારણે પિતાનું મૃત્યુ થયું હતું. તેની પત્ની અને બાળકોના ભવિષ્યની ચિંતામાં તેણે તેનું મૃત્યુ અકસ્માત કે હત્યા જેવું બનાવવાનું આયોજન કર્યું. તેને ગુજરાતની એક તાંત્રિક ઘટના પરથી ખ્યાલ આવ્યો કે તે કેવી રીતે લોકોને મારતો અને લૂંટતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મકવાણાએ સોડિયમ નાઈટ્રાઈટ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અને તેનો ઉપયોગ કરતા પહેલા અન્ય લોકો પર તેનું પરીક્ષણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મકવાણાએ સોડિયમ નાઈટ્રાઈટનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો અને પછી તેને જીરું (કોલ્ડ ડ્રિંક જેવું પ્રવાહી) સાથે ભેળવી દીધું હતું અને તેનો પોતાના પર ઉપયોગ કરતા પહેલા અન્ય લોકો પર તેનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે કનુભાઈ નામના બહેરા અને મૂંગા પાડોશીને પસંદ કર્યા જેઓ બોલી શકતા ન હતા, જેથી તેઓ બચી જાય તો પણ કંઈ બોલી ન શકે. કનુભાઈએ શિક્ષક હરિકિશન પાસેથી મળેલું જીરું બે લોકો યોગેશ ગંગારામ કુશવાહા અને રવિન્દ્રભાઈ રાઠોડ સાથે વહેંચ્યું હતું. જીરામાં સોડિયમ નાઈટ્રેટ ભેળવવાને કારણે ત્રણેયના મોત થયા હતા. એફએસએલ રિપોટર્માં મિથાઈલ આલ્કોહોલ મળ્યો ન હતો પરંતુ મૃતકના વિસેરાની તપાસમાં સોડિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. પોલીસે ૨૮ દિવસ બાદ આ કેસનો ભેદ ઉકેલ્યો છે.